
ડીસા જલારામ મંદિર ખાતે છેલ્લા પચ્ચીસ ગુરૂવારથી પદયાત્રા,મહાઆરતી તેમજ ખીચડી-કઢીના પ્રસાદનું આયોજન થાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પધારે છે.ગત ગુરૂવારે રામજી મંદિરના ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી,પ્રકાશભાઈ ભરતીયા,દેવચંદભાઈ સોની,બ્રહ્મ સમાજના પ્રમુખ ત્રિકમલાલ ત્રિવેદી,મંત્રી ભેમજીભાઈ જોષી, રોટરી ડીવાઈન વુમન્સ કલબના આસિસ્ટન્ટ ગર્વનર ડો.રીટાબેન પટેલ, પ્રમુખ ડો.બીનલબેન માળી, કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ના પ્રમુખ ચંદુભાઈ એટીડી,મંત્રી અશ્ર્વિનભાઈ મોદી સહિત સૌ જલારામ મંદિર ખાતે પધારતાં તેમનું કંકુતિલક, “જલારામ દર્શન “ગ્રંથ તેમજ ફૂલછડીથી સન્માન કરાયું હતું.
આ શુભ અવસરે સર્વ કનુભાઈ આચાર્ય ,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર, ગફુલભાઈ દેસાઈ, મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર, ગણપતભાઈ અખાણી,મનુભાઈ પૂજારા,કાંતિભાઈ માળી,દિનેશભાઈ ચોક્સી,દિનેશભાઈ કવિરાજ, ઈશ્ર્વરભાઈ રાવળ સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ મહાઆરતી તેમજ પ્રસાદનો લાભ લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.
