
બાલંભા: તા ૧૪ (*લલિત નિમાવત દ્વારા*)શ્રીચામુંડા માતા મંદિર, શાંતીનગર, બાલંભા તા.જોડિયા જી.જામનગર માં શ્રી હનુમાન જયંતિ નિમિત્તે, તા.12 એપ્રિલ ના રોજ બપોરે 11 થી 1 વાગ્યા સુધી શાંતીનગર, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે માસિક બાળસંસ્કાર કેન્દ્ર માં વિદ્યાર્થીઓને આસન-પ્રાણાયમ, પ્રસંગોપાત હનુમાન ચાલીસા નો પાઠ, પ્રેરક વાર્તા, રમત ગમત કરાવવા માં આવેલ. આ પ્રસંગે કલરફુલ સચિત્ર વાળી શ્રી હનુમાન ચાલીસા ની પુસ્તક બધા જ વિદ્યાર્થીઓ ને ભેટ તેમજ પ્રશ્નોતરી માં ઇનામ વિતરણ આપવામાં આવેલ તેમજ બધા જ વિદ્યાર્થીઓ માટે ભોજનપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલ તેની તસવીરી ઝલક


