
દેશના રજવાડાઓને એક કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે દેશ માટે ઘણા બધા સત્યાગ્રહ કરે અને દેશની આઝાદી માટે મહત્વ યોગદાન આપેલ છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મોરબી નવા બસ સ્ટેન્ડ ની સામે મૂકવામાં આવેલ પરંતુ સ્વતંત્ર દિવસ જેમ નજીક આવતા સરદાર પટેલ નું સ્ટેચ્યુ તેમની જગ્યાએથી ગુમ કરી દેવામાં આવેલ છે છેલ્લા ત્રણ દિવસથી નવા બસ સ્ટેન્ડ ની સામે સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ જોવા મળતું નથી સ્ટેચ્યુની જગ્યામાં ઝાડ-પાનની ડાળીઓ કપાયેલી દેખાય છે ત્યારે એક પ્રશ્ન થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ક્યાં ગયું સા માટે ગુમ કરિયું રોજબરોજ લોકો સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેટ્યું પાસે થી પસાર થાય છે અને સરદાર વલ્લભભાઈ પટેલના વંદન કરે છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ કોઈ પણ કારણસર ત્યાંથી ગુમ કરી દેવામાં આવેલ છે કેન્દ્રની સરકાર લોકશાહીના પંચોતેરની વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવી કરી રહેલ છે ત્યાર અંગ્રેજોને દેશમાંથી જવા માટે અને ભારતને મુક્ત કરાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન પણ મહત્વનું હતું. 562 રજવાડાઓ એક કરવામાં જેમને મહત્વનો ફાળો ભેજો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ નું નવા બસ સ્ટેન્ડ મોરબી મુકામે જે સ્ટેચ્યુ હતું એ એ સ્વતંત્ર પર્વ પહેલા ગુમ કરી દેવામાં આવ્યું છે એનું કારણ શું સરદાર પટેલ નું મહત્વ ઓછું કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહેલ છે તારીખ 14 8 2022 પૂર્વ સંધ્યા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ તેમની મૂળ જગ્યાએ મૂકવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીજીના રહે આંદોલન કરવાની ફરજ પડશે ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ગેર ઉપયોગ કરે સત્તામાં ટકે રહેવા માટે મારી રહેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ એ નવા બસ સ્ટેન્ડ મુકામે સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્ટેચ્યુ હતુ તે ફરી સ્વતંત્ર પર્વની ઉજવણી પહેલા મૂકવામાં આવે તેવી માગણી અને લાગણી દર્શાવેલ છે.
