
*દર ગુરૂવારે ડીસા જલારામ મંદિરે ભરાતો જલિયાણ દર્શન મેળો*
3-2-2022 થી દર ગુરૂવારે ડીસાના ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સેવાધામ જલારામ મંદિર ખાતે જલિયાણ દર્શન મેળો ભરાય છે.પદયાત્રા,સંસ્થાકીય સન્માન,મહાઆરતી,કઢી-ખીચડીના પ્રસાદ થકી સૌ રાજીપો અનુભવે છે.ગત ગુરૂવારે પ્રજાપતિ સમાજ,ટેક્ષ બાર એસોસીએશન,દરજી સમાજ,તુરી બારોટ સમાજ તેમજ ડીસા તાલુકા ફેરપ્રાઈઝ એસોસિએશન ના અગ્રણીઓ સર્વ દામજીભાઈ પ્રજાપતિ,અમૃતલાલ કંબોયા,વેરસીભાઈ પ્રજાપતિ,પ્રકાશભાઈ કાનૂડાવાલા,શૈલેષભાઈ મહેસૂરીયા,સુરેશભાઈ એન.ઠકકર,સોમભાઈ દરજી,કેશવલાલ ચાવડા,સુરેશભાઈ જાદવ,હર્ષદભાઈ બારોટ,રસિકભાઈ સાવીયાણાવાળા,કેવળદાસ ઠકકર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેતાં તમામ સંસ્થાઓના પ્રમુખ/મંત્રીશ્રીઓનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરાયું હતું.
જલારામ મંદિર તેમજ શુભેચ્છક ગ્રુપના સર્વ કનુભાઈ કે.આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,મહેશભાઈ ઉદેચા,આનંદભાઈ પી.ઠક્કર,તારાચંદભાઈ ડી.મજેઠીયા,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ સહિત અનેક જલારામ ભકતોએ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.
સૌએ મહાઆરતી તેમજ કઢી-ખીચડીના પ્રસાદનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.
