
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન કવન તેમજ બાળપણના પ્રસંગો પર આધારિત ફિલ્મ નિહાળી હતી.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી, જ્ઞાન જ્યોતિ પર્વ, સ્મરણોત્સવમાં વિચાર નિર્માણ ફાઉન્ડેશન હેઠળ સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણના પ્રસંગો પર આધારિત બાળકો, યુવાનો તેમજ વડીલો માટે પ્રેરણાદાયી ફિલ્મ પ્રદર્શન કરવામાં આવી રહી છે. તેમના જીવન કવન પર બનેલી ફિલ્મના અલગ અલગ ભાગ બતાવવામાં આવી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ રસપૂર્વક આ ફિલ્મ નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો.

