રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા………….


જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ પુત્ર મયુરભાઈ ડી.ચનીયારા દ્વારા વિજયાદસમી એટલે કે દશેરા ના પાવન અવસરે પરંપરા અનુસાર હડિયાણા ગામે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
શસ્ત્રપૂજનમાં શસ્ત્રો ની પૂજા કરી બુરાઈને નાબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે હડિયાણા ગામના માજી સરપચ ચિંતનભાઈ જે. કાલાવડીયા અને અન્ય આગેવાનો દ્વારા તલવાર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. અને હડિયાણા ગ્રામજનોએ અને અન્ય આગેવાનો સામૂહિક સાથ સહકાર થી ગરબા મંડળ ની બાળાઓને તલવાર ની લ્હાણી આપવામાં આવી હતી. અને અધ્ય શક્તિ જગદબાની ભક્તિ ના મંગળ અવસર પર વિજયાદશમી ના દિવસે હડિયાણા ગામ દ્વારા આયોજીત અલગ અલગ નવરાત્રી મહોત્સવમાં આનદભેર ઉમગથી હાજર રહી ને માતાજીના દર્શન કરીને સૌના સુખાકારી અને સમૃદ્ધ જીવનની પ્રાર્થના કરી હતી.


