• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુલની ગોઝારી દુર્ઘટનામાં કુલ ૧૩૪ મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા ₹૫,૦૦૦ અને એક એક કાળી કામળી અર્પણ કરાય*

।। રામ ।।

 

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને રુપિયા ૬ લાખથી વધુ રકમની સહાયતા અર્પણ કરતા મોરારિબાપુ

 

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં ૧૩૪ જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. મોરબીના ઈતિહાસ માં ફરી એકવાર અત્યંત દુઃખદ ઘટના બની છે. પુજ્ય મોરારિબાપુ ની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે. આ દરમ્યાન આ કરુણ ઘટના નાં સમાચાર મળ્યા હતા અને પુજ્ય મોરારિબાપુ એ એમની સંવેદના વ્યક્ત કરી હતી અને જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના નિર્વાણ .માટે પ્રાર્થના કરી હતી. આજે પૂજા બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને ₹5,000 અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે. આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહંત પૂજ્ય શિવરામ બાપુ સાહેબના આશીર્વાદ અને અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. રાજકોટના અતુલ ઓટોની ટીમ દ્વારા સહાય પહોંચાડવા આવી રહી છે. પુનઃ ફરી એકવાર પુજ્ય મોરારિબાપુ એ તમામ મૃતકો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી છે.

Related posts

*જોડીયા ના પીઠડ ગામ ની તાલુકા શાળાના શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

*શ્રી લોહાણા મહા પરિષદ,યુવા સમિતિ,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ જનક ઠકકરે તેમની ટીમ સાથે લીધેલ ડીસા નગરની મુલાકાત*

Hello Morbi

*HELLO MORBI:હિન્દુ – મુસ્લિમ સર્વજ્ઞાતિય – ૨૩ – માં સમૂહ લગ્નનું સમાપન*

editor

Leave a Comment