
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ સવાર થી માનવ શરીર ના પ્રતિરોધક ક્ષમતા વધારતી મિથેલીન બ્લ્યુ નુ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરવા મા આવશે તેથી સર્વજ્ઞાતિય જલારામ ભક્તો એ અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી મિથેલીન બ્લ્યુ ગ્રહણ કરવા સંસ્થા ના અગ્રણી ચંદ્રવદનભાઈ પુજારા એ યાદી મા જણાવ્યુ છે.મિથેલીન બ્લ્યુ રોજ સવારે નરણા કોઠે અને સાંજે ૧ ચમચી જીભ નીચે મુકી ૧ મીનીટ સુધી રાખી પછી ગળી જવી, ૧૫ મીનીટ બાદ ચા-નાસ્તો ગ્રહણ કરી શકાય. ૫ વર્ષ થી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા કીડની ના દર્દીઓ એ મિથેલીન બ્લ્યુ ન લેવી. રાત્રે સુતી વખતે બંને નસકોરા મા ૨-૨ ટીપા નાંખવા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવા મા આવે છે જેમા એમ્બ્યુલન્સ સેવા, શબ વાહીની સેવા, ઓક્સિજન સિલિન્ડર વિતરણ, ઓક્સિ મિટર તથા સ્ટીમ મશીન વિતરણ, હોસ્પીટલે આવતા દર્દીઓ તેમજ જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ, પાણી ની બોટલ તેમજ લીંબુ શરબત વિતરણ, આયુર્વેદીક દવાઓ નુ વિતરણ સહીત ની સેવાઓ સમાવિષ્ટ છે ત્યારે આવતીકાલ થી મિથેલીન બ્લ્યુ નુ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરવા મા આવશે.
