


*કાંતિલાલ અમૃતિયા, રીષીપભાઈ કૈલા, અનિલભાઈ વરમોરા,નિલેશભાઈ જેતપરીયા, ગીરીશભાઈ ઘેલાણી,દીપકભાઈ પોપટ, કીશોરભાઈ ચંડીભમર, કીશોરભાઈ પલાણ, લલીતભાઈ કામરીયા, તેજશભાઈ બારા, પ્રભુભાઈ ભુત, ભગવાનજીભાઈ કાસુન્દ્રા,પ્રતાપભાઈ ચગ, નૈમિષભાઈ પંડીત સહીતનાં અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતી.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર પાસે શ્રી મસ્તાના મામા સાહેબ બિરાજમાન છે ત્યારે મોરબી જલારામ સેવા મંડળ ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની તથા વિશાલભાઈ ગણાત્રા દ્વારા ડાક ના માણીગર એવા શ્રી ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટવાળા તથા સાથી કલાકારો નો શ્રી મામા સાહેબ નું મોજીલુ માંડલું કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ, જેમાં બહોળી સંખ્યા માં મામા સાહેબ ના ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનો માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ભોજનપ્રસાદ વ્યવસ્થા રાખવા માં આવી હતી.
આ તકે શ્રી કાંતિલાલ અમૃતિયા, રીષીપભાઈ કૈલા, અનિલભાઈ વરમોરા, ગીરીશભાઈ ઘેલાણી, નિલેશભાઈ જેતપરીયા,કીશોરભાઈ ચંડીભમર, દીપકભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, લલીતભાઈ કામરીયા, પ્રભુભાઈ ભુત, ભગવાનજીભાઈ કાસુન્દ્રા, તેજશભાઈ બારા, પ્રતાપભાઈ ચગ, નૈમિષભાઈ પંડીત સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રી મામા સાહેબ નાં દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, શ્રી મામાસાહેબ ના ભક્તજનો દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
