શિયાળાની સોહામણી સવાર ની શરૂઆત થઇ ગઈ હોય અને શાળા માં પણ વિધાર્થીઓ અને શિક્ષકો શાળા ના વાતાવરણ માંથી હળવાફૂલ થવા બહાર ની દુનિયા ને સ્પર્શવા અને જોવા માંગતા હોય ત્યારે ઉપવન વિદ્યા મંદિર શાળા માં સૌરાષ્ટ્ર નો પ્રવાસ યોજાયો હતો જેમાં 6 થી 12 ધોરણ ના વિદ્યાર્થીઓને પ્રવાસ માં લઇ જવામાં આવ્યા હતા જેમાં શાળા ના આચાર્ય જયેનસર અને સ્ટાફ મિત્રો મનીષસર, દિપકસર, જ્યોતિમેડમ, હિના મેડમ, ખુશ્બુમેડમ અને ક્રિષ્ના મેડમ પણ પ્રવાસ માં જોડાયા હતા
આ પ્રવાસ સૌરાષ્ટના સ્થળ નો હતો જેમાં સોમનાથ, દીવ, તુલસીશ્યામ, પરબધામ અને કાગવડ ખોડલધામ ની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ સાથે મળી આ પ્રવાસ માં ઉલ્લાસ મેળવ્યો હતો

