ટંકારા, નાના ખીજડીયા, જીવાપર(ટં) અને વિરપર ગામોના ૭૭ લાભાર્થીઓને
૧૦૦ ચો.વાર પ્લોટોનાં સનદની ફાળવણી અંગેનો કાર્યક્રમ
તા.૨૯/૧૨/૨૦૨૨નાં રોજ બપોરે ૧:૦૦ કલાકે તાલુકા પંચાયત ટંકારાનાં સભાખંડમાં ટંકારાનાં ૪૦, નાના ખીજડીયાના ૧૮, વિરપરનાં ૧૦ અને જીવાપર(ટં) ના ૯ એમ કુલ–૭૭ લાભાર્થીઓને ૧૦૦ ચો.વારનાં ઘરથાળનાં પ્લોટોની સનદ ફાળવણીનો કાર્યક્રમ ટંકારા-પડધરી વિસ્તારનાં નવ નિયુક્ત ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અતિથિ વિશેષ સ્થાને યોજાઇ ગયેલ.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ઉપરાંત તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખશ્રી પુષ્પાબેન કામરીયા, ઉપપ્રમુખશ્રી નીમુબેન ડાંગર, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ અશોકભાઈ ચાવડા અને નથુભાઈ કડીવાર, APMC ચેરમેનશ્રી ભવાનભાઈ ભાગીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા, તાલુકા પંચાયત ટંકારાના કારોબારી અધ્યક્ષશ્રી અરવિંદભાઈ દુબરીયા, તાલુકા પંચાયત ટંકારાના સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રીમતિ ગીતાબેન ભોરણીયા, તાલુકા પંચાયત ટંકારાના સદસ્યશ્રીઓ, ટંકારા, વિરપર, નાના ખીજડીયા અને જીવાપર(ટં)નાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં.
ગુજરાત સરકાર દ્વ્રારા ગ્રામ્ય વિસ્તારમાં વસતા ઘર વિહોણા, પ્લોટ વિહોણા લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકારની ૧૦૦ ચો.વાર પ્લોટોની ઘરથાળ યોજના તેમજ ઘર બનાવવા માટે મકાન સહાય માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હાલ અમલમાં છે. આ યોજના અંતર્ગત ટંકારા તાલુકાનાં કુલ ૧૫૧ પરિવારોને વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૦૦ ચો.વારના ઘરથાળનાં પ્લોટો ફાળવવામાં આવેલ છે. આ પ્લોટોનાં મંજુરી હુકમ, સ્થળ પર કબજાની સોંપણી બાદ આજે કાર્યક્રમ દરમિયાન ટંકારા તાલુકાનાં કુલ ૭૭ લાભાર્થીઓ જેમા ટંકારાના ૪૦ લાભાર્થીઓ, નાના ખીજડીયાનાં ૧૮ લાભાર્થીઓ, વિરપરનાં ૧૦ લાભાર્થીઓ અને જીવાપર(ટં)નાં ૯ લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ દરમિયાન ટંકારા-પડધરી વિસ્તારનાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રેરક પ્રવચન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત ટંકારાનાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જી. પી. ભીમાણીએ અને કાર્યક્રમનાં અંતે આભાર વિધી ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ. ડી. જાડેજા સાહેબે કરેલ.





