પાલનપુર રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્રારા કરવામાં આવ્યો ઉજ્જૈન-ઓમકારેશ્ર્વરનો સફળ પ્રવાસ
બનાસકાંઠાની રાજધાની પાલનપુર નગરમાં દેશી,વાગડ,પારકર,મારવાડી લોહાણા સમાજના પરિવારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે.બધા પરિવારો સાથે મળી જલારામ જન્મજયંતિની ઉજવણી તેમજ વિવિધ ધાર્મિક સત્કાર્યો કરે છે.
તાજેતરમાં રઘુવંશી દેશી લોહાણા સમાજ પાલનપુરના 76 સભ્યોએ બે લકઝરી બસ દ્રારા ત્રણ દિવસનો ઉજ્જૈન-ઓમકારેશ્ર્વરનો આનંદદાયી સફળ ધાર્મિક પ્રવાસ કર્યો હતો.આ પ્રવાસના આયોજન માટે નવીનભાઈ ગોકલાણી,ડો.વસંતભાઈ ગણાત્રા,મહાસુખભાઈ પૂજારા,પ્રવિણભાઈ જીવરાણી,નવીનભાઈ કાઠીવાળા,પ્રવિણભાઈ પૂજારા,એલ.જી.ઠકકર સહિત સૌએ સંપૂર્ણ સહકાર તેમજ માર્ગદર્શન આપ્યું હતું.પ્રવાસ,ભોજન,નાસ્તો,નિવાસ સહિતની સંપૂર્ણ સગવડ સાથે ગોઠવવામાં આવેલ આ સમગ્ર પ્રવાસનું સંકલન તેમજ સંચાલન નવીનભાઈ ગોકલાણીએ કર્યું હતું.સમગ્ર પ્રવાસ દરમિયાન સૌએ આનંદ કિલ્લોલ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરી વિવિધ ધાર્મિક સ્થળોના દર્શનનો દિવ્ય લાભ લીધો હતો.

