
નવનિર્માણ વિદ્યાલય – મોરબી ખાતે પ્રજસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.
તારીખ 26/1/2023 ગુરુવારના રોજ નવનિર્માણ વિદ્યાલય – મોરબી ખાતે પ્રજસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મોરબી નગરપાલિકા PWD ના ચેરમેન શ્રી દેવાભાઇ અવાડીયા, સામાજિક કાર્યકર અમિતભાઈ ગામી, ભદ્રેશભાઈ મેરજા, જયસિંગભાઈ વીરડા, સંસ્થાના સંચાલક રાજકુમાર લો, રાજેશભાઈ ચનિયારા, હરેશભાઈ કુંડારિયા, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
મોરબી નગરપાલિકા PWD ના ચેરમેન શ્રી દેવાભાઇ અવાડીયામાં વરદ હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું તથા વાર્ષિક પરીક્ષા – 2022 ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે તારીખ 23/1/2023 થી તારીખ 26/1/2023 દરમિયાન રમતોત્સવ યોજવામાં આવ્યો જેનું સમાપન કરવામાં આવ્યું અને રમતગમતમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.


