
જલારામ સત્સંગ મંડળ દિયોદર દ્રારા શરૂ થશે દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન
ખૂબ જ ધર્મપ્રેમી,સેવાપ્રેમી,ગૌપ્રેમી,જીવદયાપ્રેમી એવા નસીબદાર,પૂન્યશાળી અને ભાગ્યશાળી દિયોદર નગરમાં તારીખ 22-2-2023 થી તારીખ 24-2-2023 બુધવાર થી શુક્રવાર એમ ત્રણ દિવસ માટે વાજતેગાજતે પૂજ્ય જલારામ બાપાના નિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.
આ પહેલાં તારીખ 2-2-2023 ગુરૂવારે રાત્રે 8=30 થી 10=00 દરમિયાન જલારામ સત્સંગ મંડળ દિયોદર દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં પ્રથમ ભજનનો કાર્યક્રમ શ્રીમતી ભારતીબેન અમૃતભાઈ ભચુભાઈ ઠકકર/રાજદેના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.દિયોદરમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન દર ગુરૂવારે થશે અને પ્રથમ દિવસે જ આગામી 21 ગુરૂવારના ભજનના નામો પણ જાહેર થશે.આ ભજનનો શુભારંભ કરાવવા માટે જલારામ સત્સંગ મંડળ ડીસાના 111 કરતાં વધારે જલારામ ભકતો દિયોદર જનાર છે.પવન,પ્રકાશ,પાણી,પાથરણું અને સાદા પ્રસાદ આધારિત આ ભજનમાં થતી તમામ આવક ગૌમાતાઓના લાભાર્થે જ સદઉપયોગ કરાશે.
