ડીસા જલારામ મંદિરે પાણીની પરબનો કરાયો શુભારંભ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ ડીસા જલારામ મંદિર ખાતે તારીખ 2-3-2023 ગુરૂવારે જલસેવા કેન્દ્ર-પાણીની પરબનુ ઉદ્ઘાટન કરી તેનો દિવ્ય શુભારંભ કરાયો હતો.
આ પ્રેરણાદાયી અવસરે જલારામ ભકતો તેમજ ડીસા નગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,કેશવલાલ ચાવડા,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,દીલીપભાઈ બારોટ,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ મજેઠીયા,વિષ્ણુભાઈ ઠક્કર,સુરેશભાઈ દેવવાળા,દિનેશભાઈ કવિરાજ,કલ્પેશભાઈ જેઠાલાલ ઠકકર,કનુભાઈ હાલાણી,આર.ડી.ઠકકર,પ્રકાશભાઈ કાનાબાર,દિનેશભાઈ ચોક્સી,ભરતભાઈ પટેલ,રમેશભાઈ પટેલ,પ્રેમજીભાઈ ચૌધરી,પ્રવિણભાઈ ઠકકર,અમરતમામા,ગણપતભાઇ અખાણી,પૂજાબેન ઠકકર,બીનાબેન ઠકકર,મોનાબેન ઠકકર,ૠત્વીબેન ઠકકર,જાનકીબેન ઠકકર,રીપલબેન ઠકકર સહિત અનેક સેવાભાવીઓએ ખાસ હાજર રહી દીપપ્રાગટય કરી પૂજ્ય જલારામ બાપાના જય જયકાર સાથે પાણીની પરબ તેમજ વિસામાનું ઉદ્ઘાટન કર્યું હતું.ઉનાળાના ચાર મહિના ડીસા શહેર તેમજ તાલુકાના અનેકજનોને પીવાનું ઠંડું પાણી મળી રહે તેવી વ્યવસ્થિત સુવિધા કરવામાં આવેલ છે જેની શહેરીજનોએ પણ ભારે પ્રશંસા કરેલ છે.


