
મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ તથા માળિયા ખાતે સરકારી આઈ.ટી.આઈ દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થી માટે તા.૨૨/૦૫/૨૦૨૩ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે.
આ સમર સ્કીલ વર્કશોપમાં એક અઠવાડિયાના પાંચ દિવસ માટે રોજના બે કલાક અથવા ચાર દિવસ રોજના અઢી કલાક અથવા બે દિવસ રોજના પાંચ કલાક એમ કુલ ૧૦ કલાકના વર્કશોપમાં જોડાવાનું રહેશે. વર્કશોપમાં જોડાઇને બાળકો તેમની જીવનની કારકિર્દી અને આવનારા સમયની ટકનોલોજી વિશે માહિતગાર થઈ શકશે.
પકડવી, વેલ્ડિંગ જ્યોતનો પ્રવાહ અંગે સિંગલ રોડ વેલ્ડિંગની મદદથી વેલ્ડિંગ અંગેની પાયાની સમજ, ઈલેક્ટ્રોનિક સર્કિટ, સેમિકઽક્ટર, PCB બોર્ડ, સોલ્ડરિંગનો પરિચય, પ્લમ્બિંગ અંગેની બેજિક સમજ, તે માટે ઉપયોગમાં લેવાતા વાલ્વ, વોશર, લીકેજ અંગેની સમજ, પેટ્રોલ ડીઝલ એન્જિનનો વર્કિંગ અંગેનો કટ સેક્શન, એક્સલેટર, તેમજ બ્રેકનું કાર્ય, વ્હિલ કેવી વળે છે તે અંગેની સમજ, સિવણનો ઘરેલુ ઉપયોગ તથા સીવણ થીયરીની સમજ આ ઉપરાંત ઔદ્યૌગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ ફેબ્રીકેશન ડ્રાફટ્સમેન સીવીલ ઓટોમોબાઇલ, સુઇંગ ટેક્નોલૉજી, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર તથા ડ્રોન મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી જેવા સેકટરોના વ્યવસાયનું પાયાનું પ્રેકટીકલ જ્ઞાન જાણવા શીખવા મળશે. તેમજ કૌશલ્ય પ્રાપ્તિ બાદની ઉજ્જવળ કારકિર્દી વિશે માર્ગદર્શન આપવામાં આવશે
૮૮૪૭૩૦૪૬૭૮, આઈ.ટી.આઈ. માળીયા (મી) :- ૯૬૨૪૩૭૬૧૩૩, આઈ.ટી.આઈ. વાંકાનેર- ૯૮૯૮૧૧૧૨૩૫ નંબર પર સંપર્ક કરવા આચર્યશ્રી મોરબી ઓદ્યોગીક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
