
શ્રી રઘુવંશી સમાજ સમુહ મહાપ્રસાદ
ધ્રાંગધ્રા ખાતે સ્વ. શ્રી કાંતિલાલ કરશનજીભાઈ રાજવીર ના ગોલોકધામ પામતા પરિવાર દ્વારા શ્રી નાથજી ભંજન સંધ્યા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ
આ શુભ અવસરે કમીજલા થી પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહામંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા પ્રખ્યાત કલાકાર શ્રી અશોકભાઈ ભાયાણી શ્રીનાથજી ભજન સંધ્યા માં હાજર તમામ સમાજના અને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રઘુવંશી સમાજ ની તમામ સંસ્થાઓ જીલ્લા ના તમામ રઘુવંશી સમાજ શહેરના નામાંકિત વ્યક્તિઓ રાજકીય આગેવાનો નગરપાલિકા પ્રમુખ શ્રી હોદ્દેદારો સહકારી ક્ષેત્રના આગેવાનો અનેક મહાનુભાવો રાજવીર પરિવારના શ્રી પ્રકાશભાઈ રાજવિર શ્રી ગોપાલભાઈ તથા પરિવારના આ અવસરમાં ઉપસ્થિત રહેલ
સમગ્ર આયોજનમાં રાજવીર પરિવાર સાથે શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ તથા શ્રી દરિયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા ના પ્રવીણભાઈ પુજારા જીતુભાઈ કોટક મિલન ગોવાણી દિલીપ પુજારા મહેશભાઈ પુજારા અતુલ દક્ષિણી સાથે અનેક યુવાનો એ સહકાર આપી આ ઉત્સવને ભવ્ય બનાવવા અથાગ મહેનત કરી સફળ બનાવેલ




