
બીપોરજોય વાવાઝોડા ને કારણે જુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા 210 આશ્રિતો ને આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા અને સંઘ ની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના સંયુક્ત ઉપક્રમે આશ્રિતો ને બપોરે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ અને સાથે સાથે સાંજ ના ભોજન માટે ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવેલ.આ સેવા કાર્ય માં આર.એસ.એસ મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા તથા આર.એસ.એસ મોરબી નગર કાર્યવાહ ડો જયદીપભાઈ કંઝારિયા તથા ભારત વિકાસ પરિષદ ના સચિવ હિંમતભાઈ મારવાણીયા તથા સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર તથા વિપુલભાઈ અમૃતિયા તથા શાળા ના આચાર્ય રમેશભાઈ મસોત અને શાળા પરિવાર જોડાયું હતું.



