
*શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરે સલાયામાં સૌ પ્રથમવાર મહાદેવને મહાકાલેશ્વર શણગાર અને ભસ્મ આરતી યોજાઈ.*
સલાયામાં તળાવને કાંઠે બિરાજતા સ્વંયભુ શ્રી પાળેશ્વર મહાદેવના મંદિરમાં આજરોજ મહાકાલેશ્વરના શણગાર કરવામાં આવેલ હતા તથા સલાયાના ઇતિહાસમાં પ્રથમ વખત જ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડેલ હતા તથા આ અલૌકીક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.આં દર્શન અને આરતીનો લાભ સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવાએ લીધો હતો.અને આવા સુંદર શ્રિંગાર દર્શન બદલ મહંત શ્રી પ્રવીણગિરિ મહારાજના આશીર્વાદ લઈ અને શુભકામનાઓ પાઠવી હતી.


