બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા બીજેપીના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના પ્રવક્તા પંકજ દેસાઈએ જણાવ્યું કે કોરોના મહામારીના કારણે શપથ ગ્રહણ સમારોહમાં મર્યાદિત સભ્ય જ ઉપસ્થિત રહેશે.
શપથ ગ્રહણ સમારોહમાં જે લોકો ઉપસ્થિત રહેશે, તેમાં પેટાચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો સિવાય રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેશે.
શપથ ગ્રહણ સમારોહમાં જે લોકો ઉપસ્થિત રહેશે, તેમાં પેટાચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યો સિવાય રાજ્યના સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મંત્રી પ્રદીપ સિંહ જાડેજા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતિ રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાશે. વિધાનસભા સંકુલના ચોથા માળે આ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપની સંખ્યા વધીને 111 પહોંચશે.
