અમદાવાદમાં સાણંદ સર્કલ અને સિંધુ ભવન નજીક ફ્લાય ઓવર બનાવાયા છે. સાણંદ સર્કલ પાસેનો ફ્લાય ઓવર 36 કરોડ અને સિંધુ ભવન નજીકનો ફ્લાય ઓવર 35 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. બંને ફ્લાય ઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. ફ્લાય ઓવરના લોકાર્પણ બાદ વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. વર્ષ 2016-17માં માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે ફ્લાય ઓવર મંજૂર કર્યા હતા.
