*આજરોજ 23 તારીખના માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને ખંભાળિયાના પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.*
આજરોજ 23 માર્ચના રોજ માનનીય કેબિનેટ મંત્રીશ્રી તથા ખંભાળિયાના પ્રજાવત્સલ ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરા સાહેબના જન્મ દિવસ હોઈ જે નિમિતે સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે ધ્વજા આરોહણ કરવાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મુળુભાઇના શુભેક્ષકો તેમજ હરસિદ્ધિ મંદિરના પૂજારી શ્રી અશોકપરી ગૌસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે શ્રી મુળુભાઇને માં હરસિદ્ધિ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા છે તેમજ તેમનાં કુળદેવી પણ છે. તથા મુળુભાઇને સલાયા પ્રત્યે વિશેષ લગાવ છે. અને સલાયાના ભારતીય જનતા પાર્ટીના જમીનપર રહી કામ કરતા પાયાના કાર્યકર એવા શ્રી લાલજીભાઈ ભૂવા સાથે પણ શ્રી મુળુભાઇ પારીવારીક સબંધ ધરાવે છે.આં ધ્વજારોહણ કરી અને દરેકે મુળુભાઇના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી.