
ચેક રીર્ટન કેશમાં આરોપીનો નિર્દોધ છુટકારો
પડધરીની કોર્ટમાં ફરીયાદી ભગવતિ એન્ટરપ્રાઇઝ ના કુલ મુખત્યાર દરજજે બીપીનભાઈ રણજીતભાઈ ડોડીયાએ પડધરીના રહીશ વનરાજભાઈ રૂખડભાઈ સોલંકી સામે ચેક રીર્ટનનો રૂા. ૨,૦૮,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ આઠ હજાર પુરા વસુલવા કેશ દાખલ કરેલ અને કેશ દાખલ કર્યા બાદ કુલ મુખત્યારનામુ આપનાર મનીષ છબીલદાસ દોશીનુ તા. ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ અવસાન થયેલ ત્યારબાદ તા. ૧૦-૦૮-૨૦૨૧ ના રોજ ફરીયાદી બિપીનભાઈ રણજીતભાઇ ડોડીયાએ કોર્ટમાં જુબાની આપવા આવેલ પરંતુ બચાવ પક્ષના વકીલશ્રી પ્રફુલચંદ્ર કે. કોટક એ જુબાની આપવાનો અધિકાર ન હોય અને ગુજરનાર વારસો ને વારસદાર તરીકે જોડેલ ન હોય જેથી કુલ મુખત્યાર દરજજે જુબાની આપી શકે નહી મનીષ છબીલદાસ દોશી તા. ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ અવસાન થતા આ કેશ અહીજ પૂર્ણ થાય છે તેમજ ફરીયાદી એ નાણા ધીરધાર નો ધંધો કરે છે તેવુ લીગલ નોટીસ તેમજ ફરીયાદ અરજીમાં તેમજ સરતપાસની જુબાનીમાં જણાવેલ બચાવ પક્ષ ના વકીલશ્રી પ્રફુલચંદ્ર કે કોટક સહકારી મંડળીના નાણા ધીરધાર વિભાગમાંથી પત્ર મેળવીને ફરીયાદી પાસે નાણા ધીરધારનું લાયસન્સ ન હોય જેથી આ લેણુ કાયદેસર ન ગણાય આ તપાસ દલીલ પ્રફુલચંદ્ર કે કોટકની કોર્ટ માન્ય રાખી ફરીયાદીની ફરીયાદ રદ કરી આરોપી વનરાજભાઈ રૂખડભાઈ ને નિર્દોષ જાહેર -રેલ આ કેશમાં વકીલ તરીકે શ્રી પ્રફુલચંદ્ર કે કોટક રોકાયેલ હતા.
