
જોડિયાધામ :(*લલીત નિમાવત દ્વારા*) જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” આશ્રમ ખાતે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી, એવમ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવશ્રી ભોલેદાસ બાપુની આજ્ઞાથી, પ્રતિ વર્ષ મુજબ આ વર્ષ પણ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી જોડિયાધામ દ્વારા આયૉજીત સંતશ્રી ભોલેબાબાજીની ( ૩૮ મી પુણ્યતિથિ ) નિમિતે તારીખ : ૨૩/૬/૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી બાબાજીના મંદિરમાં કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ ક્લાકે સાધુ , સંતોનો તથા ભક્તોનો ભવ્ય ભંડારો ( મહાપ્રસાદ ) રાખેલ છે આ ઉપરાંત તારીખ : ૨૨ / ૬ / ૨૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના સન્મુખ સંગીતમય સુંદરકાંડના પાઠ રાખેલ છે
