
*શ્રી જલારામ મંદિર ડીસાના સેવક સદગત દીલીપભાઇ બારોટની યોજાઈ પ્રાર્થનાસભા*
*છેલ્લા ચાર વર્ષથી શ્રી જલારામ મંદિર ડીસા ખાતે સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દીલીપભાઇ બારોટનું આકસ્મિક નિધન થતાં તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા જલારામ મંદિર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું*
*એ પહેલાં જલારામ ભક્તો સર્વ કનુભાઈ આચાર્ય, શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ,ચારૂબેન ઠક્કર,આર.ડી.ઠકકર, કેશવલાલ ચાવડા, દીલીપભાઇ રતાણી, કલ્પેશભાઈ -લાલાભાઈ સહિત સૌએ તેમના વતન જંગરાલ ખાતે જઈ બેસણામાં હાજરી આપી પરિવારને સાંત્વના આપી હતી*
*પ્રાર્થના સભામાં સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, પ્રહલાદભાઈ સહયોગ, ચંદુભાઈ એટીડી, સુરેશભાઈ દેવવાળા,ઈશ્વરભાઈ રાવળ,કેશવલાલ ચાવડા, પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર સહિત સૌએ શાબ્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.બે મિનિટનું મૌન પાળી ઉપસ્થિત સૌએ ઈષ્ટદેવતાને પ્રાર્થના કરી હતી*
*સદગત દીલીપભાઇ બારોટ પરિવારના વાસુદેવભાઈ, કિરીટભાઇ, નિરંજનભાઈ, વિપુલભાઈ,આકાશભાઈ સહિત સૌ ખાસ ઉપસ્થિત રહ્યા હતા*
*વાસુ ભાઈ જગન્નાથભાઈ બારોટે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે વિપુલભાઈ બારોટે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર પ્રાર્થના સભાનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું*
