u
પ્રતિશ્રી,
ચીફ ઓફિસરશ્રી,
મોરબી.
*બાબત : ગટરનું ઢાંકણું સત્વરે નવું*
*નખાઈ જવા બાબતે*
*આભાર દર્શન.*
*(નોંધ: ઢાંકણું બદલીયા બાદનો કાટમાળ – કચરો પડેલ છે તે લેવડાવવા અરજ છે.)*
જય ભારત સાથ જણાવવાનું કે, મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે, સરદાર પટેલની પ્રતિમાથી રવાપર રોડ જવાના રસ્તે જે ” સ્વચ્છતા રોડ ” ના નામે ઓળખાય છે. જે રસ્તે, ગુલમહોર એપાર્ટમેન્ટ સામે આવેલ ગટરનું ઢાંકણું તા. 11/9/2021 થી તૂટી ગયેલી હાલતમાં હતુ. જેમાં કોઈ જાગૃત નાગરિકે સુકો બાવળ નાખી આડશ કરી લોકોને દૂર ચાલવા નો સંકેત આપેલ. પરંતુ વરસાદ પડતાં બાવળ અને આડશ દૂર થઈ થઈ જતા ગટરનું ઢાંકણું સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયેલ. જેને લીધે પસાર થતા વાહનચાલકો સામે મોત ઝઝૂમી રહ્યું હતુ. આથી આ નવુ ઢાંકણું નાખવા ચીફ ઓફિસર તથા કોર્પોરેટર સમક્ષ રજુઆત કરતા આજરોજ તા. 13/9 ના રોજ નવું ઢાંકણું નખાય ગયેલ હોય આ બાબત સત્વરે કામગીરી કરવા બદલ અમો મોરબીવાશીઓ વોર્ડ નં. 10, ના કોર્પોરેટરો તથા અન્ય કોર્પોરેટરો તેમજ તથા નગરપાલિકા મોરબીના કર્મચારીઓની કામગીરીની સરાહના કરીએ છીએ.
(મોરબી ના નાગરિકો)
નકલ રવાના :
(1) ચેરમેનશ્રી, ભૂગર્ભ ગટર શાખા, મોરબી નગરપાલિકા.
(2) કોર્પોરેટરશ્રી(તમામ)
નગરપાલિકા,
