• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હવે લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. માત્ર અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રી દરમિયાન કર્ફ્યૂ યથાવત રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ રાત્રી કર્ફ્યૂ હટાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી એફવાઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં ફરીથી લૉકડાઉન કે વીકેન્ડ કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ગત અઠવાડિયે અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યૂ બાદ શનિવાર-રવિવારના દિવસે આખો દિવસ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, સોમવારથી આ કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો. સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યૂ 7 ડિસેમ્બર સુધી યથાવત રહેશે.

Related posts

*રોટરી કલબ ડીવાઈન ડીસા દ્રારા સર્વ મંગલમ વિધાલયમાં જરૂરિયાતમંદ બાળકોને કરવામાં આવેલ સ્વેટર વિતરણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી: સેવા અને સમર્પણના પવિત્ર શપથ*

editor

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment