
જોડીયા તાલુકાના બાલંભા મુકામે તારીખ21.5.25 ના રોજ તિરંગા યાત્રા કાઢવામાં આવી
બાલંભા તા૨૨ (*લલિત નિમાવત દ્વારા*) મુકામે તારીખ 21.5.25.ના રોજ ભાજપ કાર્યકરો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના માન સન્માનને લઈને ભારત માતાકી જય ના નાદો સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવેલ ઓપરેશન સિંદૂર ને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો છે સેનાના વીર જવાનોના આ પદમ્ય સાહસને બિરદાવા માટે બાલંભા ભાજપ કાર્યકરો દ્વારા એક સિંદુર યાત્રા નું આયોજન કરેલ જેમાં જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનિયારા જામનગર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા જામનગર જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય જેઠાલાલ અઘેરા તેમજ જોડીયા તાલુકા ભાજપ મહામંત્રી મિતેશભાઈ રાઘવાણી બાલંભા ગામ પંચાયતના સરપંચ. ઉપસરપંચ તેમજ બાલંભા ભાજપ કાર્યકરો ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો




