શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
(*નૈમિષ સેજપાલ દ્વારા*)વિદ્યાભારતી સંલગ્ન માધવ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે આજ રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અન્વયે મટકી ફોડ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.ધામધૂમથી ઉજવાયેલ આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ,સોસાયટીનાં રહીશો તેમજ શિશુમંદિરનાં કાર્યકર્તાઓ મહેશભાઈ,રાજેશભાઈ,ડાયાલાલભાઈ,જયેશભાઈ,બેચરભાઈ વગેરે હાજર રહયા હતા.



