
મોરબી :તા ૧૩ મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે તે માટે તારીખ ૧૪ ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે ૯ વાગ્યાથી સુપર માર્કેટ પાસે ૧૫,૦૦૦ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. તો રાષ્ટ્રપ્રેમી આ તિરંગા વિતરણનો લાભ લેવા અપીલ કરાઈ છે.
