*મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા મોરબી મોરબી શહેર ભાજપ પ્રમુખ રીષીપભાઈ કૈલા, શહેર ભાજપ મહામંત્રી ભૂપતભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, PSI ઠક્કર સાહેબ, PSI સોમૈયા સાહેબ સહીતનાં અગ્રણીઓ.*
*જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત આગેવાનો નું અભિવાદન કરાયુ.*
શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરીદેવીજી ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરુ આયોજન કરાયું છે ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ રીષીપભાઈ કૈલા, શહેર ભાજપ મહામંત્રી ભૂપતભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી લોહાણા મહાજન ના સદસ્ય-એડવોકેટ & નોટરી-મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, PSI દીલીપભાઈ ઠક્કર સાહેબ, PSI હરેશભાઈ સોમૈયા સાહેબ સહીતના અગ્રણીઓ એ કથા શ્રવણ નો લાભ લીધો હતો તેમજ મોરબી જલારામ ધામ ની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભવો નું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી



