ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે યજ્ઞનું આયોજન
સંવત 2026 મહા સુદ તેરસ ગુરૂવાર તારીખ 17-2-2000 ના અતિ પવિત્ર દિવસે ડીસા જલારામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે યોજાયો હતો.આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ-સંતો-સાધ્વીજીઓએ પધારી આશીર્વાદ આપ્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રેવીસમો પાટોત્સવ મહા સુદ તેરસ તારીખ 3-2-2023 શુક્રવારે યજ્ઞ ના માધ્યમથી ઉજવવામાં આવશે.
યજ્ઞની વિધિ સવારે 9=00 થી 11=00 દરમિયાન કરવામાં આવશે જેમાં અગીયાર દંપતીઓ ભાગ લેશે.સમગ્ર ડીસા નગરના ધર્મપ્રેમી તેમજ જલારામપ્રેમી ભાઈ/બહેનો ખાસ ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન તેમજ જલારામ દર્શનનો લાભ લેનાર છે.
જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા પાટોત્સવ તેમજ યજ્ઞ નિમિતે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.યજ્ઞમાં બેસનાર દંપતીઓની નોંધણી વહેલા તે પહેલાના ધોરણે થનાર છે.