
*મોરબી જલારામ ધામ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૭-૧૮-૧૯ દરમિયાન યોજાશે.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ,અયોધ્યાપુરી રોડ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. વિતરણ તા.૧૭-૧૮-૧૯ શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી કરવા માં આવશે. વિવિધ પ્રકાર ની મીઠાઈ તેમજ ફરસાણ મેળવવા માં માટે કોઈ પણ પ્રકાર ના એડવાન્સ બુકીંગ ની આવશ્યકતા નથી. વિતરણ વહેલા તે પહેલા ના ધોરણે કરવા માં આવશે.
