
વાંકાનેર: તા ૧૭ માન. રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકાના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ નું ખાત મુર્હૂત શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ. જેમા ગારીયા સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહીત ગ્રામજનો આગેવાનો ની હાજરી વચ્ચે વિધિવત રીતે ખાત મુર્હૂત કરવામાં આવ્યું. ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર આ કોમ્યુનિટી હોલથી ગારીયા ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો દ્રારા માન. સાંસદશ્રી પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ માટે આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
