
અધ્યયન મંડળ મોરબી દ્વારા
આવતા ગુરુવારે મહા વદ ૧૦ , દિનાંક ૧૨/૦૨/૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા ગાયત્રી ચેતના કેન્દ્ર, શનાળા રોડ, છોટાલાલ પ્રેટ્રોલ પંપ વાળી શેરી, , શનિદેવના મંદિરની પાછળ સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં રાજકોટના ધનશ્યામભાઈ ગઢવી, ડાયરેક્ટર મણિમંદિર સંગ્રહાલય , ટી.વી. કલાકાર જેઓ ભારતીય મંદિરો : સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓનું ગુરુત્વ કેન્દ્રબિંદુ વિષય પર વ્યાખ્યાન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે
અધ્યયન મંડળ મોરબી
સંયોજક -ડો જયેશ પનારા
સહસંયોજક
વિજયભાઈ રાવલ કમલેશભાઈ અંબાસણા
ભાવેશભાઈ હડિયલ
