
ધ્રાંગધ્રા SSP Jain College
વર્ષ ૧૯૯૨ બેચ સ્નેહમિલન સમારોહ
પ્રથમ સ્નેહમિલન સમારોહ ભવ્ય સફળતા બાદ ત્રિમંદિર ધામ ધ્રાંગધ્રા ખાતે વર્ષ ૧૯૯૨ કોલેજ બેચ નું દ્વિતીય સ્નેહમિલન સમારોહ યોજાયેલ જેમાં મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભુજ, અંજાર, સુરેન્દ્રનગર, રાજકોટ, ધ્રાંગધ્રા પરિવાર સભ્યો ઉપસ્થિત રહેતા અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ ગ્રુપ દ્વારા
” પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રા ” નેમ રાખી પ્લાસ્ટિક નહીં વાપરવા માટે સૌએ શપથ ગ્રહણ કર્યા હતા અને લુગડાની થેલીનુ વિતરણ કરવામાં મોરબી સ્થિત સભ્યશ્રી મનિષભાઈ વૈષ્ણવના સૌજન્ય થકી અને શ્રી મનેશભાઈ રાવલ શુભેચ્છા થકી યોજવામાં આવેલ આયોજક જીતુભાઈ કોટકે શાબ્દિક સ્વાગત કરી પરિવારના દિવંગત સભ્યો પ્રત્યે શ્રદ્ધાજલ વ્યક્ત કરવામાં આવતા હાજર તમામ ભાવુક થઈ ગયા હતા દરેક સભ્યોને શ્રી મનિષભાઇ વૈષ્ણવ તરફથી ભેટ અર્પણ કરવામાં આવી હતી આયોજક હર્ષદબા ચૌહાણ ગાંધીનગર તરફથી સૌની હાજરી અને સહકાર બદલ આભાર દર્શન વ્યક્ત કરવામાં આવેલ.

