
*જલારામ મંદિર-મોરબી ના અગ્રણી પ્રવિણભાઈ કારીયા દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટર મા ચાર માસ સુધી રહી ડ્રાઈવર તરીકે સેવા આપી સેવા નુ ઉત્તમ દ્રષ્ટાંત પુરુ પાડ્યુ*
સમગ્ર વિશ્વ મા કોરોના વાઈરસે પોતાનો કાળો કહેર વર્ષાવ્યો છે ત્યારે મોરબી કડવા પાટીદાર સમાજ દ્વારા જોધપર મુકામે પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવા મા આવ્યુ હતુ. જેમા ૫૦૦ થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ ની સારવાર તેમજ સેવા-શુશ્રુષા કરવા મા આવી હતી. પાટીદાર કોરોના કેર સેન્ટર મા વિવિધ પ્રકાર ની માનવ સેવા પ્રદાન કરતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પોતાની એક એમ્બ્યુલન્સ આપવા મા આવી હતી જેમા જલારામ મંદિર ના અગ્રણી પ્રવિણભાઈ કારીયા દ્વારા ચાર માસ સુધી કોરોના કેર સેન્ટર મા રહી નિસ્વાર્થભાવે એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર તરીકે સેવા પ્રદાન કરી હતી. મોરબી જલારામ મંદિર ની સેવા બદલ ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ,પ્રવિણભાઈ કારીયા, નિર્મિત કક્કડ સહીત ના જલારામ મંદિર ના અગ્રણીઓ ને પાટીદાર કોરોના કેર સેન્ટર ના પ્રમુખ ગંગારામભાઈ ધમાસણા, મંત્રી રામજીભાઈ બાવરવા સહીત ના અગ્રણીઓ તથા સમસ્ત પાટીદાર સમાજે સન્માન પત્ર એનાયત કરી બિરદાવ્યા છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
