મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલની પાછળ રહેતા પુરુષે માનસિક તકલીફ ના કારણે ગળેફંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલ પાછળ કલ્યાણ એપાર્ટમેન્ટ રહેતા અંબારામભાઈ એન. દેસાઈ (ઉ.૫૦) ને માનસિક તકલીફ હોય અને માથાનો સતત દુખાવો રહેતો હોય જેના કારણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ એન.કે.ઈશરાની ચલાવી રહ્યા છે
