ગત તારીખ: 09/02/2021 ને મંગળવારે પીરછલ્લા વોર્ડ-6 ના મધ્યસ્થ કાર્યાલય નુ ઉદ્દઘાટન કરાયુ હતું
ગુજરાત રાજ્યના મંત્રીશ્રી અને ભાવનગર પૂર્વ-વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય સુ.શ્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ શ્રી રાજીવભાઇ પંડ્યા, પૂર્વ ગૃહમંત્રી શ્રી મહેન્દ્રભાઇ ત્રીવેદી, ચુંટણી ઇન્ચાર્જ શ્રી ગીરીશભાઇ શાહ, પૂર્વ મેયરશ્રી મનહરભાઇ મોરી, પૂર્વ મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું.
પીરછલ્લા વોર્ડ-6 ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો. (1) શ્રી કુમારભાઇ શાહ, (2) શ્રી દિલીપભાઇ જોબનપુત્રા, (3) શ્રીમતી મનીષાબેન વાઘેલા, (4) શ્રીમતી યોગીતાબેન ત્રીવેદી, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ-6ના મધ્યસ્થ કાર્યાલય ના શુભ ઉદ્દઘાટનમા ભાવનગર શહેરના મહામંત્રી શ્રીઓ, શ્રી યોગેશભાઇ બદાણી, શ્રી અરુણભાઇ પટેલ, શ્રી ડી.બી. ચુડાસમા, પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પીરછલ્લા વોર્ડના ભા.જ.પા. ના તમામ ચાર ઉમેદવારો ને શુભેચ્છા આપવા બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સર્વે સમાજના આગેવાનો વડીલો, શુભેચ્છક મીત્રો, તથા વિસ્તારનાં તમામ સ્થાનિક લોકો ઉત્સાહ અને વિશ્વાસ સાથે ઉમટી પડ્યા હતા.
સુ.શ્રી, વિભાવરીબેન દવે એ ચારેય ઉમેદવારો ને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.
સમગ્ર વાતાવરણ “ભારત માતા કી જય” વંદે માતરમ્ નાં ઘોષ સાથે ગુંજ લગાવી તમામ હાજર રહેલ લોકોએ ચારેય ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી બનાવવા પોતાની જવાબદારી સમજી વિશ્વાસ આપ્યો હતો.
સૌનો સાથ, સૌનો વિકાસ, અને સૌનો વિશ્વાસ,
#ગુજરાતછેમક્કમ
#ભાજપસાથેઅડીખમ
લી: ભાજપા પીરછલ્લા વોર્ડ પરીવાર.
