

આ પ્રસંગે વિવિધ જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યશ્રીઓ, જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ જયારે ગાંધીનગર ખાતે પંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧ લી મે 2021 થી ‘મારુ ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાનો રાજ્યવ્યાપી શુભારંભમાં ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનો- પદાધિકારીઓ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ અભિયાનમાં જોડાયા છે. 
______
