
કોરોના મહામારી અંતર્ગત મોટાભાગે તહેવારો નો ઉત્સાહ હળવો પડયો છે જ્યારે હાલ કોરોનાની ત્રીજી લહેર ના ભય સતત રહી છે જેથી તંત્ર વાહકો દ્વારા મોટાભાગના લોકમેળા રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એવી જ રીતે મોરબી નગરપાલિકા દ્વારા પણ શ્રાવણ માસ દરમિયાન લોક મેળો નહીં યોજવામાં આવે તેવી સત્તાવાર જાહેરાત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે
નોંધનીય છે કે કોરોના મહામારી ની પ્રથમ અને બીજી શહેરમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના લોકો ભય ભીત સાથે મોંઘવારી મંદીમાં સતત રહ્યા છે જ્યારે તહેવારોમાં જ નાના-મોટા ધંધા-રોજગાર કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અનેક પરિવારો માં આ વર્ષે પણ લોકમેળા નહીં હોવાના સમાચારથી જોર કા ઝટકા ધીરે સે! જેવો ઘાટ અનુભવી રહ્યા હોય તો નવાઈ નહીં. *અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
