• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સિહોરના વરિષ્ઠ પત્રકાર અને પ્રજા હિત નિસ્વાર્થ સેવા કાર્યકર્તા હરીશભાઇ પવારનું સન્માન*

” સિહોર જાયન્ટસ ગ્રુપ ઓફ સિહોર દ્વારા વરિષ્ઠ પત્રકાર/સામાજીક કાર્યકર હરીશભાઈ પવાર નું રકતદાન ક્ષેત્રે ૮૧ વખત રકતદાન તેમજ સામાજિક વિશિષ્ઠ સેવા બદલ સન્માન કરાયું”

 

સિહોર પંથક સહિત ના વિસ્તારોમાં પ્રજાહિત નાના-મોટા પ્રશ્નો અંતર્ગત સચોટ પરફેક્ટ માહિતીઓ મેળવી પ્રજાહિત પ્રશ્નોને વાચા આપી પવિત્ર પત્રકાર ક્ષેત્રે ફરજ ના ભાગે ની સ્વાર્થી કાર્યમાં તત્પર રહેનાર અને કંસારા સમાજ સહિત સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી સિહોર પંથકમાં જાણીતા એવા હરીશભાઇ પવાર નું તાજેતરમાં જ સન્માન કરવામાં આવ્યું છે જેથી તેની પ્રજા હિત કામગીરી અને નિસ્વાર્થી સેવા સિહોર પંથકમાં રંગ લાવી હોય તેમ મોટાભાગના લોકો તેની કામગીરીને બિરદાવી સન્માન કરાયું છે અંતરે નોંધનીય છે કે હરીશભાઇ પવાર માનવસેવા પશુપંખી ની સેવા સહિત વિવિધ જરૂરત મંદ ની મદદે આવીને સેવા ભાવિ સ્વભાવથી કરે છે તેઓ કોઈ અને જરૂરત મંદ દર્દીઓ માટે ર૪ ×૭ જે ઇમરજન્સી બ્લડ માટે તત્પર હોય છે તેમજ સિહોર માં બ્લડ કૅમ્પો સહિત અત્યાર સુધી માં અનેક જરૂરિયાતમંદો ને રકતદાન કરી જેઓ એ પોતાની સામાજીક સંસ્થા શ્રી હરસિદ્ધિ ગ્રુપ ઓફ સિહોર ની તા.૨/૨/૧૯૯૨ ના રોજ સ્થાપના કરી હતી જેઓ સંસ્થા ના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે અને તેઓ વિવિધ સામાજિક સંસ્થા ઓ માં પણ સેવાઓ આપે છે તેઓ દ્વારા અનેક સામાજીક પ્રવુતિઓ માં કાયમ અગ્રેસર રહ્યા છે ,તાજેતર માં સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર ખાતે શપથ વિધિ દરમિયાન સિહોર સામાજીક સેવા કાર્ય જોડાયેલ નુ સન્માન કરાયેલ તેમાં સિહોર ના વરિષ્ઠ પત્રકાર/સામાજીક કાર્યકર જેઓ એ સિહોર તાલુકા માં વધુ માં વધુ 81 વખત રકતદાન કરેલ ,તેમજ સિહોર શ્રી મારું કંસારા સમાજ દ્વારા પ્રમુખ હરીશભાઈ પવાર આગેવાની હેઠળ તેમજ ટ્રસ્ટીશ્રી કારોબારી ટીમ તેમજ સમાજ ના સહકાર થી સમાજ ની વાડી માં સતત 4 થી વધુ વખત વેક્સિન કેમ્પ કરી સર્વશ્રેષ્ઠ કામગીરી જેઓ એ આ વિસ્તાર માં તમામ ને કોરોના મુક્ત સાથે બેસ્ટ કામગીરીસરકારશ્રી દ્વારા કોરોના મહામારી સમયે વેક્સિન રસીકરણ કેમ્પ સાથે વધુ માં વધુ 100ટકા વેક્સિન રસીકરણ કંસારા બઝાર ખાતે કરેલ આવી અનેક સેવાકીય કાર્યની નોંધ લઈ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર સંસ્થા ના પ્રમુખશ્રી તેમજ પૂર્વ પ્રમુખ ડૉ.ભરતભાઈ ભટ્ટ, રાજુભાઈ દેસાઈ,અનિરુધ્ધ ભાઈ પંડ્યા સહિતના ઓ એ હરીશભાઈ પવાર નું સન્માન કરતા મીડિયા પરિવાર તેમજ કંસારા સમાજ , તેમજ સામાજિક સંસ્થાઓ ની અગ્રેસર એવી ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના (NGO)પ્રમુખ શ્રી અરૂણાબેન પંડ્યા સર દ્વારા શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થા પણ ગર્વ અનુભવે છે.

જેથી સમગ્ર સિહોર પંથક સહિત અન્ય જિલ્લા રાજ્ય માં પત્રકારત્વ ક્ષેત્રે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેઓના સ્વભાવ મુજબ પ્રજાહિત પ્રશ્નોને વાચા આપી પ્રજાહિત પ્રશ્નો અને નિસ્વાર્થી સેવાથી જાણીતા

સિહોર ના રિપોર્ટર હરીશભાઈ પવાર રહ્યા છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી.                                                  *અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

Related posts

*ટંકારા બી.આર.સી. ભવન તથા શિક્ષિકા દ્વારા બાળગીતોનો સંપુટ તૈયાર કરાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ની રજૂઆત ફળી*

editor

Leave a Comment