
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાતના તમામ શહેર જિલ્લાના હોદ્દેદારો ને જનતા પાર્ટી માં હોદેદારો કાર્યકરો અને મતદારોની જન સંખ્યા વધે તેવા હેતુસર સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં જુદી જુદી સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો સમાજ ચિંતકો અને પ્રજા પ્રજાહિત કાર્ય કરી શકે સેવા એવા જવાબદાર વ્યક્તિઓને હોદ્દેદાર કાર્યકર તરીકે ની ફાળવણી ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં અગ્રણી આગેવાન સેવાકાર્ય થી જાણીતા સેવક એવા લોકપ્રિય સિકંદર ભાઈ ખોખર ની ભારતીય જનતા પાર્ટી માં વરણી કરવામાં આવી ભાવનગર જીલ્લા લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની
વરણી થતા ની સાથે શુભેચ્છાઓ પાઠવતાં ઉમરાળા તાલુકા લઘુમતી મોરચાના અધ્યક્ષ જબ્બારબાપુ જી કુરેશી ત્થા ઉમરાળા તાલુકાના લઘુમતી મોરચા મહામંત્રી-ઈરફાન એ સૈયદ સહિત સૌરાષ્ટ્ર પ્રતિબીંબ સમાચાર પરિવાર તરફથી વિકાસ લક્ષી કાર્યો કરી સમાજ અને સમાજના વિવિધ પ્રશ્નોને ન્યાય અપાવે તેવી આશાઓ સાથે હદય પૂર્વક અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. *અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
