
*મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા રહેતા અને ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ તરીકે સેવા આપતા અનિલભાઈ તન્નાનો તારીખ 22 જાન્યુઆરીએ જન્મદિવસ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ તન્ના દ્વારા કરાશે વિશિષ્ઠ ઉજવણી*
મૂળ સલાયાના અને હાલ ખંભાળિયા રહેતા અને ખંભાળિયા શહેર ભાજપમાં શહેર પ્રમુખ તરીકે સતત બે ટર્મથી સેવા આપતા પીઢ રઘુવંશી અગ્રણી શ્રી અનિલભાઈ તન્ના નો આવતી 22 જાન્યુઆરીના સોમવારના રોજ જન્મ દિવસ છે.ત્યારે સલાયા શહેર ભાજપ મહામંત્રી અને અનિલભાઈના પારિવારિક ભાઈ એવા શ્રી લાલજીભાઈ તન્ના દ્વારા સલાયામાં જન્મદિવસ નિમિત્તે કરાશે વિશિષ્ઠ ઉજવણી જેમાં સલાયામાં આવેલ સ્લમ વિસ્તાર જેમાં અંદાજિત 400 જેટલા અત્યંત જરુરિયમંદ ભાઈઓ બહેનો રહે છે. જેને શિયાળામાં પ્રખ્યાત મસાલા અને વેજીટેબલ અને કઠોળથી ભરપૂર ગિરનારી ખીચડી ખવડાવવામાં આવશે. તેમજ જલારામ મંદિરે અનિલભાઈ ના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે. આ તકે સલાયામાં વિવિધ સંસ્થાના હોદેદારો અને શુભેક્ષકો સાથે જોડાશે.

