
આજ રોજ તા.25/08/2021 ના રોજ ગાળા, હરિપર , કેરળ ગામ ના ખેડૂતો દ્વારા પોતાના પાક ને થયેલ પોલ્યુશન ના કારણે નુકશાન સામે ન્યાય મેળવવા માટે ચાલી રહેલ ઉપવાસ આંદોલન માં માજી ધારા સભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા મધ્યસ્તી કરી ને પોલ્યુશન અધિકારી શ્રી વાઘેલા સાહેબ ને કહેતા આજે શ્રી વાઘેલા સાહેબે ઉપવાસ સાવણી ની રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતો ને પોતાના પ્રશ્ન માં યોગ્ય તપાસ કરી ખેડૂતો ને ન્યાય અપાવવા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા તેમજ શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા ખેડૂતો ને વિન્નતી કરતા ખેડૂતો દ્વારા તેઓ ની વિન્નતી ને માન આપી ને પોતાનું ઉપવાસ આંદોલન પૂરું કર્યું હતું અને શ્રી વાઘેલા સાહેબ ના હાથે પારણાં કરેલ હતા અને આંદોલન નો સુખદ અંત આવેલ છે. 
કાંતિલાલ ડી. બાવરવા
જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસોસિયેશન
મોરબી
