*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*
ટંકારામાં પોલીસ કવાટર બન્યા ત્યારથી વર્ષોવર્ષ પરંપરાગત ભારતીય પ્રલાની મુજબ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી માતાજીની આરાધના ,દીકરીઓ માતાઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવાંમાં આવે છે. દરરોજ વિવિધ રાસોની રમઝટ બોલાવાઈ છે .
તારીખ 9 ના રોજ ઓરપેટ સંકુલ ની બાળાઓ રાસે રમેલ અને વિવિધ રાસો રજુ કરેલ. તારીખ 10 ના રોજ નેસડા સુરજી ગામની બાળાઓ રાસે રમેલ .
ટંકારાના પી.એસ.આઇ બી. ડી. પરમાર દ્વારા પોલીસ સ્ટાફ ટંકારા, તાલુકાના સરપંચ તથા આગેવાનો માટે નવરાત્રી મહોત્સવ માં ભાગ લેવા આયોજન કરાયેલ.
પી એસ આઈ બી. ડી પરમાર, વિજયભાઈ બાર, રણજીતભાઈ મઠીયા, રવિભાઈ રાવડીયા, રમેશભાઈ મૈયડ, રણજીતસિંહ ઝાલા, મુકેશભાઈ ચાવડા ,પ્રવીણભાઈ મેવા ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી કિરીટભાઈ અંદરપા ,સંજયભાઈ ભાગ્યા, રૂપસિંહ ઝાલા, ભુપતભાઈ ગોધાણી, રસિકભાઈ દુબરીયા પત્રકાર ભાવિન સેજપાલ તથા ટંકારા તાલુકાના કલ્યાણપર ,જીવાપર ,હરબટીયાળી સરાયા, સહિત અને ગામોના સરપંચો આગેવાનો રાસે રમેલ અને રાસની રમઝટ બોલાવેલ. જયદેવ ભાઈ રાવળ દ્વારા ડાક સાથે માતાજીની સ્તુતિ કરાયેલ.
આધુનિક યુગમાં આજે પણ પોલીસ સ્ટાફ દ્વારા ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય છે.
