જોડિયા તાલુકાના માઇનોર બ્રિજ અને રોડના કામનું ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું
*લલિત નિમાવત દ્વારા* જામસર તા ૧૩ જોડિયા તાલુકાના જામસર બાલંભા રોડ ઉપર માઇનોર બીજ નું અંદાજિત રકમ 1.30 કરોડ ના કામનું અને રણજીતપુર બાલંભા રોડ ઉપર સીસી રોડ. ડામર રોડ નું કામ કિંમત.6.35 કરોડના કામનું ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે તારીખ 12.11.25 ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેમાં કારોબારી અધ્યક્ષ જામનગર ચંદ્રિકાબેન અઘેરા જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર ઉપપ્રમુખ સુરેશભાઈ જાદવ જેઠાલાલભાઈ અઘેરા તાલુકા મહામંત્રી મિતેશભાઈ રાઘવાણી ભાજપ કાર્યકર હાતિમ ભાઈ. ભરત રાવલ. અજય રામપરિયા. રણજીત પર સરપંચ તેમજ કાળુભાઈ પરમાર તેમજ જોડિયા તાલુકા ભાજપ કાર્યકરો રણજીતપર ગામજનો આ વિકાસના કામોમાં સહભાગી થયા હતા



