• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા મહંત ના પાર્થિવ દેહ ના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર તેમજ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવે છે ત્યારે તાજેતર મા જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ ખોડીયાર આશ્રમ ના મહંત મોક્ષ પામ્યા હતા. તેમના પરિવારજનો મા કોઈ ન હોય, મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ કોળી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝભાઈ, નાનજીભાઈ સોલંકી સહીત ના આગેવાનો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મહંતશ્રી ના પાર્થિવ દેહ ના અંતિમ સંસ્કાર કરવા મા આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા અંતિમ યાત્રા બસ તેમજ વૈકુંઠ રથ સેવા સમાજ ના દરેક વર્ગ ને વર્ષો થી વિનામુલ્યે પ્રદાન કરવા મા આવી રહી છે. અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા કે બિનવારસી મૃતદેહ ના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર માટે હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩ ૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-૯૦૯૯૬ ૦૦૦૮૧ પર સંપર્ક કરવો.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*મોરબીના એ ડિવિઝન પોલીસ મથકના જુગાર કેસમાં ત્રણ માસથીનાસતો ફરતોઆરોપી ને એસ.ઓ.જી.એ ઝડપી લીધો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી:અનેક સેવા કાર્યોમાં પોતાનું યોગદાન પ્રદાન કરનાર નિર્મિતભાઈ કક્કડ નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા હરસિદ્ધિ માતાજીને કરાશે ધ્વજારોહણ*

editor

Leave a Comment