*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*


સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જોડિયા દ્વારા છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૧ ઉજવણી જોડિયા આયુર્વેદ હોસ્પિટલ ખાતે તા. ૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ કરવામાં આવી.
જેમાં પ્રમુખશ્રી જીલ્લા પંચાયત જામનગર ધરમશી ભાઈ ચણીયારા, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયશ્રીબેન અઘેરા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જેઠાલાલ અઘેરા અને સરપંચશ્રી અશોકભાઈ વર્મા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરુઆત ધન્વન્તરી પૂજા અને યજ્ઞથી થઇ, ત્યાર બાદ આયુર્વેદ ફોર પોષણ થીમ પર પ્રદર્શની રાખવામાં આવી હતી. જેનો પણ મહાનુભાવો અને ઉપસ્થિતોએ લાભ લીધો હતો

