*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ગીર સોમનાથ જિલ્લાના ઉના માં આજે સોરઠીયા ઘાંચી મુસ્લીમ સમાજ દ્વારા સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૯ દુલ્હા દુલ્હન પાક રિશ્તા માં બંધાઈ યા હતા
જેમાં સોરઠીયા ઘાંચી સમાજ ઉના ના ઉત્સાહી નેકદિલ પ્રમુખ જનાબ હાજી યુસુફભાઈ હાજી ગનીભાઇ તેમજ ઉપ/પ્રમુખ યુસુફભાઈ પટેલ તેમજ મહેબૂબભાઈ પડાયા સોરઠીયા ઘાંચી સમાજ ઉનાના બધા કાર્યકરો દ્વારા સમુહલગ્ન ના અતિસુંદર ઉમદા આયોજન અને કાબિલેદાદ સંચાલન ને દિલ થી સલામ.
આપનુ આ કાર્ય ખરેખર સમગ્ર ગુજરાત ના આપણા ઘાંચી સમાજ માટે પ્રેરણાસ્રોત છે..પ્રમુખ જનાબ હાજી યુસુફભાઈ તથા ઉના ઘાંચી સમાજ દ્વારા ફક્ત સમાજ સેવા ની ભાવના સાથે સંકલન કરી ને સમુહલગ્ન જેવા સામાજિક નેક કાર્યો કરી ને સમગ્ર ગુજરાત ના ઘાંચી સમાજ ને સમાજ સેવા નો ઉમદા રાહ ચીંધી રહેલ છે
ઘાંચી યંગ કમીટી ગુજરાત ના સંયોજક તથા પ્રમુખ જનાબ ફિરોઝભાઇ ચોટલીયા ખજાનચી અમીનભાઈ બીલખીયા એડમીન ટીમના સલીમભાઈ પરમાર મોહીનભાઈ પાદરશી શબ્બીર ભાઈ સેલોત તથા ઘાંચી યંગ કમીટી ગુજરાતની ટીમ તરફથી યુસુફ ભાઈ નું મૂવમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉના ઘાંચી સમાજ ના પ્રમુખ જનાબ યુસુફભાઈ તેમજ ઉના ઘાંચી સમાજ ના તમામ વડીલો અને આગેવાનો . યુવાનો તથા સમુહલગ્ન ના કાર્યકરો તમામ ને તહેદિલ થી મુબારકબાદી પાઠવતાં ખુબ જ ગૌરવ અને ગર્વ ની લાગણી અનુભવે છે. ઉના ઘાંચી સમાજ ઉતરોત્તર પ્રગતિ કરે અને વધુ માં વધુ સામાજિક ક્ષેત્રે કાર્યરત બનીસમાજ ના વિકાસ માટે પોતાનુ યોગદાન પ્રદાન કરતા રહે..અને ખીદમતે ખલ્ક ની ઉમદા ભાવના થકી ઘાંચી સમાજ ના વિકાસ માટે ઉના ઘાંચી સમાજ હંમેશા અગ્રેસર રહે એવી દિલ થી દુવા આપવામાં આવી હતી